સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th April 2018

લોધીકાનાં ખીરસરામાં શ્રી રામદેવજી મહારાજનો પાટ મહોત્સવ : સંતવાણી-મહાપ્રસાદ

ખીરસરા તા. ૨૭ : રાજકોટ ગ્રામ્ય - ૭૧ના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયાના નિવાસ સ્થાને ખીરસરામાં તા. ૩૦ ને સોમવારે સાંજે ૪ વાગ્યે સામૈયા ગુરૂશ્રી વસંતદાસ રામદાસબાપુના તેમજ સાંજે ૭ વાગ્યે મહાપ્રસાદ રાત્રે ૯ વાગ્યે પાટોત્સવ અને રાત્રે દશ વાગ્યે સંતવાણી કલાકાર હેમંતભાઇ ચૌહાણ (વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ વિજેતા, ભજનીક), હાસ્ય અને સહિત્યકાર ધીરૂભાઇ સરવૈયા (ગુજરાત ગૌરવ પુરસ્કાર એવોર્ડ), રૂષીભાઇ અગ્રાવત (લોકગાયક), દિનેશ મકવાણા (લોકગાયક) વગેરે સંતવાણી લોકસાહિત્ય પીરસશે.

ધર્મપ્રેમી જનતાએ ભાગ લેવા પધારવા નિમંત્રણ આમંત્રીત મહેમાનોમાં જયેશભાઇ રાદડીયા, અન્ન નાગરીક પુરવઠા (કેબીનેટ મંત્રી), મોહનભાઇ કુંડારીયા (સાંસદ સભ્ય શ્રી રાજકોટ), ગોવિંદભાઇ પટેલ (ધારાસભ્યશ્રી), અરવિંદભાઇ રૈયાણી (ધારાસભ્યશ્રી રાજકોટ), ગીતાબા જે. જાડેજા (ધારાસભ્ય શ્રી ગોંડલ), પ્રવિણભાઇ મુછડીયા, ધારાસભ્ય શ્રી કાલાવડ ગ્રામ્ય વગેરે ઉપસ્થિત રહેશે. ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા તથા ખીમજીભાઇ સાગઠીયાએ નિમંત્રણ પાઠવ્યું છે.

(11:46 am IST)