ધ્રાંગધ્રામાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા યુવકનો ગળેટુંપો ખાઈને આપઘાત :સંતાન ન થતા પગલું ભર્યાનું તારણ
ધ્રાંગધ્રાના નરસીહપરા વિસ્તારમાં ટયુશન કલાસીસ ચલાવતા યુવકે પોતાના ઘેર ગળે ટુંપો દઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધ્રાંગધ્રા શહેરના નરસીહપરા વિસ્તારમાં રહેતા ધીરૃ ગોરધનભાઇ મોરી સંકલ્પ ટયુશન કલાસીસ ચલાવતા હતા. કલાસીસમાં ભારે ઘસારાના પગલે ઘેર ઉપર નવુ બાંધકામ પણ કર્યુ હતુ. વહેલી સવારે પોતાના પિતા સાથે વાતચીત પણ થઇ હતી ત્યાર બાદ છ વાગ્યા પછી બધા વાડીએ ગયા બાદ ઘરમાં રૃમમાં ગળે ફાંસો ખાઇ લીધો હતો.
આ બાબતની જાણ થતાની સાથે જ તાત્કાલીક પરીવારજનો ઉતારીને સરકારી હોસ્પીટલે લાવ્યા હતા. જ્યા હાજર ડોકટરે મૃત જાહેર કરતા પરીવારજનોમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. બીજી તરફ ટયુશન કલાસ સારા ચાલતા હતા ઘેર સુખી પરીવારનો યુવક હતો એમ છતાય આવુ પગલુ ભરવા પાછળ લગ્ન બાદ સંતાન ન થતા હોવાનુ જાણવા મળેલ છે.
યુવક પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં જન્મ એનુ મૃત્યુ નકકી જ હોય છે મારૃ મોત આવે ગયુ હોય એવુ લાગે છે માટે મારી મરજીથી આ પગલુ ભર્યુ છે મારા પરીવારજનોને કોઇ હેરાન ન કરતા એવુ જાતે લખેલ છે.હાલ આ બાબતની આગળની તપાસ ધ્રાંગધ્રા સીટી પોલીસ ચલાવી રહી છે.