સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને હોળી-ધુળેટી પર્વ અંતર્ગત વિશેષ શ્રૃંગાર
વાંકાનેર,તા. ૨૭: બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ઘ યાત્રાધામ પ્રશિદ્ઘ તીર્થધામ સાળંગપુરધામ મા આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર આયોજીત શનિવાર હોળી ( પૂર્ણિમા ) તેમજ ધુળેટીના પાવન અવસર પર શનિવાર, રવિવાર, અને સોમવારના ધુળેટી સુધી ત્રણ દિવસ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ને અદ્બૂત શણગાર કરવામાં આવશે ત્રણ દિવસ દાદાને અદભુત શણગાર દર્શન કરવામાં આવશે.
તા.૨૭ તેમજ તા. ૨૮ (પૂર્ણિમા)ના પાવન પુણ્યશાળી અવસરે મંગળા આરતી સવારે ૫:૩૦ કલાકે કરવામાં આવશે તેમજ 'શણગાર આરતી' સવારે ૭:૦૦ કલાકે થશે , આ ઉપરાંત તા.૨૯ ને સોમવારના ધુળેટીના રોજ 'શણગાર આરતી' સવારે ૫:૪૫ કલાકે થશે ઘર બેઠા ઓનલાઇન ઉત્સવના દર્શન નિહાળો ONLY ON > YOU TUBE SALANGPUR HANUMANJI ઉપર આવશે જે યાદી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામના કોઠારી સ્વામીશ્રી વિવેકસાગર સ્વામીજી મહારાજ તેમજ ડી.કે. સ્વામીજી મહારાજે જણાવેલ છે.