સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th March 2020

જામનગરથી શ્રમિકો વતનમાં જવા રવાના

ગુજરાત બહારના શ્રમિકો પોતાના વતન તરફ રવાના થતા હોવાની જાણ થતાં જ વહીવટી તંત્ર એકશનમાં આવ્યું હતું. કોરોના વાઇરસના કહેર વચ્ચે શ્રમિકોનો કાફલો વતન તરફ દોડ્યો હતો ધંધા રોજગાર બંધ થતા પોતાના પરિવાર ૮૦૦ જેટલા શ્રમિકો રવાના થતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા ખાસ ૧૩ જેટલી એસટી બસોમાં શ્રમિકોને મોકલવામાં આવ્યા હતા અને શ્રમિકો માટે ભોજન સહિતનું આયોજન પણ કલેકટરની આગેવાની હેઠળ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:02 pm IST)