News of Friday, 27th March 2020
ભચાઉના સામખિયાળી અને લલીયાણામાં ક્રિકેટ રમ્યા બાદ એકાએક બે યુવાનોના મોતથી શોક અને ચર્ચા
બન્નેના મોતના બનાવમાં ક્રિકેટ જોડાયેલ હોઇ આ બનાવે ચર્ચા સર્જી
ભુજ તા. ર૭: (ભુજ) ભચાઉના બે અલગ અલગ ગામોમાં બનેલા બે અલગ અલગ બનાવોમાં બનેલ બે યુવાનોના મોતના બનાવે શોક સાથે ચર્ચા સર્જી છે.
લલીયાણા ગામે પોતાના વરંડામાં ક્રિકેટ રમતા ર૬ વર્ષીય યુવાન અર્જુનસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા એકાએક પડી ગયા હતા.
તેમને ભચાઉ હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બીજા બનાવમાં સામખીયાળી ગામે રપ વર્ષીય નીતિન મણિલાલ કોળી પોતાના ઘર પાસે ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે એકાએક ઉલટી થતાં તેને ભચાઉ હોસ્પિટલમાં ખસેડાયો હતો ત્યાં તેનું મોત નીપજયું હતું.
(11:41 am IST)