સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 27th March 2020

ધોરાજીમાં પત્રકારોએ પણ માનવતા મહેકાવી ૨૦૦ ગરીબ પરિવારોને ઝૂંપડે ઝૂંપડે જઈને ફુડ અર્પણ આપ્યા

ધોરાજી, તા.૨૬: પત્રકારોએ કોરોનાવાયરસના કારણ લોક ડાઉન અને જાહેરનામાના કારણે શહેરમાં ૨૦૦ જેટલા ગરીબ પરિવારો પોતાના ધંધા રોજગાર થી બેહાલ થઈ ગયા છે આવા સમયે ઝૂંપડામાં રહેતા પરિવારોના બાળકોને ધોરાજીના પત્રકારો કિશોરભાઈ રાઠોડ હુસેનભાઇ કુરેશી, ભરતભાઈ બગડા, મુનાફભાઈ બકાલી, નયન ભાઈ કુવાડીયા, વિગેરે પત્રકારો દ્વારા શહેરના બહાર રહેતા ઝુંપડપટ્ટી વિસ્તારોમાં છે ૨૦૦ જેટલા પરિવારોને બાળકોને કેક તેમજ નાસ્તાનું ફૂડ પેકેટ સાથે વિતરણ કર્યું હતું આ સમયે ગરીબાઈ થી જીવતા પરિવારો હાલમાં મુશ્કેલી વેઠી રહ્યા છે ત્યારે શહેરના પત્રકારોએ પણ આ પ્રકારની માનવતા દર્શાવતા ગરીબ બાળકો ખુશ થયા હતા.

(11:18 am IST)