જામનગર જિલ્લા- તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાશે : ધનસુખભાઇ ભંડેરી
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૭ : જામનગરમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં સૌપ્રથમ મહાનગરપાલિકાની ચૂંટણીમાં બહુ મત મળ્યા બાદ જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે.ત્યારે જામનગર જિલ્લામાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ જે.પી.નડ્ડા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસલક્ષી કામો ને લઈને ગુજરાત સરકારની વિજયભાઈ રૂપાણીની વડપણ હેઠળની રાજ્ય સરકારના છેવાડાના લોકોના વિકાસ કાર્યો કરવાની નેમ સાથે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે આપેલા ગુજરાત છે મક્કમ ભાજપ સાથે અડીખમ નારાને લઈને લોકો વચ્ચે જિલ્લા ભાજપના પ્રભારી ધનસુખભાઇ ભંડેરી જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કર્યો છે.
ધનસુખભાઇ ભંડેરી સાથે જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ મુંગરા અને જિલ્લા ભાજપની ટીમ સાથે ચોમેર ગ્રામ્ય પંથકમાં ભાજપ તરફી વાતાવરણ બન્યું છે ત્યારે આવનારી જિલ્લા તાલુકા પંચાયતની જામનગર ની બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે તેવું લાગી રહ્યું છે.