રાજય મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાની તબીયત ટનાટનઃ જામનગર જીલ્લામાં ચુંટણી કાર્યમાં જાડાઇ ગયા
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ જામનગરના ધારાસભ્ય અને રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની તબીયત ગઇકાલે લથડયા બાદ કાલે સાંજે તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે અને તેઓની તબીયત ટનાટન છે અને હાલમાં તેઓ સ્થાનીક સ્વરાજની ચુંટણીના કાર્યમાં લાગી ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરના ધારાસભ્ય અને રાજય મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા તબીયત લથડતા તેમને સારવાર માટે જામનગરની જીજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનીક સ્વરાજની ચુંટણીના પ્રચાર કાર્યમાં ઘણા સમયથી વ્યસ્ત રહેતા તેઓને કાલે સવારે તાવ અને ડાયરીયા થતા તેમને સારવાર માટે જામનગરની જી જી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીયત ભયમુકત હોવાનું તબીબોઍ જણાવ્યું હતું અને સાંજે તેઓને રજા આપવામાં આવી હતી.