News of Friday, 27th January 2023
પવનની ગતિને લઇ આજે પણ ગિરનાર રોપ-વે સેવા બંધ
બપોર બાદ શરૂ થવાની શક્યતા : દિપક કપલીસ
(વિનુ જોશી) જૂનાગઢ તા. ૨૭ : પવનની ગતિને લઇ આજે પણ સવારના ગિરનાર રોપ-વે સેવા બંધ રહી હતી.
ઉષા બ્રેકો કંપનીના રિજીયન હેડ શ્રી દિપક કપલીસે અકિલા સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે, ગઇકાલે સવારે પવનના કારણે રોપ-વે બંધ રહ્યા બાદ બપોર પછી સેવા પૂર્વવત કરવામાં આવી હતી.
આજે પણ સવારના ગિરનાર ઉપર ૫૫ કિ.મી.ની ઝડપે પવન ફુંકાતો હોય પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી રોપ-વે બંધ રાખવામાં આવ્યો છે. જો કે આજે પણ બપોર પછીથી ગિરનાર રોપ-વે સેવા શરૂ થવાની શક્યતા હોવાનું દિપક કપલીસે જણાવ્યું હતું.
બે દિવસ સવારના ભાગે રોપ-વે બંધ રહેતા પ્રવાસીઓને પરેશાન થવું પડયું હતું.
(12:24 pm IST)