સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th January 2022

દિગ્જામ લીમીટેડ જામનગરમાં ૭૩ માં ગણતંત્ર દિવસની ઉજવણી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ર૭ : જામનગરની સુપ્રસિદ્ધ દિગ્જામ લિમિટેડ માં આજે ૭૩માં ગણતંત્ર  દિવસની ધ્વજવંદન કરી ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અને કંપનીના ડાયરેકટર શ્રી અજયકુમાર અગ્રવાલ દ્વારા ઉપસ્થિત કામદારો-કર્મચારીઓને સંબોધન કરી ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી.  આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં  કંપનીના કામદારો- કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કંપનીના વાઇસ પ્રેસિડન્ટ વર્કસ શ્રી આર.કે તિવારીના માર્ગદર્શન હેઠળ   સર્વે  અજીતકુમાર શ્રીવાસ્તવ, જયેશભાઈ મહેતા, મયુરસિંહ પરમાર,  ચિંતનભાઈ દવે, કમલભાઈ ટંકારીયા, હનુમંતસિંહ  સોઢા, પ્રદીપસિંઘ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

(12:35 pm IST)