સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th January 2022

કચ્છના ભૂકંપમાં રિલાયન્સ કંપની રાહત કાર્યમાં અગ્રેસર હતી : નરેન્દ્રભાઇના પ્રયત્નોને બિરદાવતા પરિમલભાઇ નથવાણી

રાજકોટ તા. ૨૭ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેકટર કોર્પોરેટ અફેર્સ અને હાલના આંધ્રપ્રદેશના રાજ્યસભાના સાંસદ તથા જામખંભાળિયાના નિવાસી શ્રી પરિમલભાઇ નથવાણીએ તેમના ટ્વિટર હેન્ડલ ઉપર જણાવ્યું છે કે, તા. ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના દિવસે ગુજરાતના કચ્છમાં ભયંકર ભૂકંપથી ગુજરાત અસરગ્રસ્ત થયું હતું. રિલાયન્સ કંપની તે સમયે રાહત કાર્યમાં અગ્રેસર રહી હતી. કચ્છના વિસ્તારોને જોરદાર રીતે વિકસીત કરવામાં ત્યાંના લોકો અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નો માટે આજે હું આભાર વ્યકત કરૃં છું.

(11:43 am IST)