સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th January 2022

મુખ્યમંત્રી બન્યા પછી પ્રથમ વખત શ્રી સોમનાથ મહાદેવના દર્શને ભૂપેન્દ્રભાઇ પટેલ

વેરાવળ - પ્રભાસપાટણ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગીર સોમનાથ જિલ્લામાં ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન કર્યા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત સોમનાથ મહાદેવને પૂજા અભિષેક કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ મહાદેવને ગુજરાતના લોકોની આરોગ્ય -સુખાકારી સમૃદ્ઘિ અને સ્વસ્થ જીવનની પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ મહાદેવની સાંધ્ય આરતીનો લાભ લઇ ભગવાન ગણેશજીના પણ દર્શન કર્યા હતા. બાદ સોમનાથ મહાદેવની શાસ્ત્રોકત પૂજા પણ કરી હતી. વીર શહીદ હમીરસિંહ ગોહિલના સ્મારક ખાતે પણ શ્રદ્ઘા સુમન અર્પણ કર્યા હતા. દર્શન વેળાએ મુખ્યમંત્રીની સાથે મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, રાજયના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાઝા, જિલ્લા કલેકટર રાજદેવસિંહ ગોહિલ, પૂર્વ મંત્રી જશાભાઇ બારડ, પૂર્વ ધારાસભ્ય રાજશીભાઈ જોટવા, જે.ડી.સોલંકી, નગરપાલિકાના પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, યશોધર ભટ્ટ, સોમનાથ ટ્રસ્ટના મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ પૂર્વે મુખ્યમંત્રીનુ સોમનાથ ટ્રસ્ટ દ્વારા મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. (તસ્વીર - અહેવાલ : દિપક કક્કડ -વેરાવળ, દેવાભાઇ રાઠોડ - પ્રભાસપાટણ)

(10:50 am IST)