પોરબંદર એસ.ટી.બસમાંથી ૧૩ સીટની ચોરી : કોંગ્રેસનો આક્ષેપ
(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૨૭ : પોરબંદરથી જે બસ રાણાવાવ બિલેશ્વર અને હનુમાનગઢ થઈને ભાણવડ થઇ અને ધુનડા ગામે નાઈટ હોલ્ટ કરીને સવારે પાછી ૮૦ થી ૯૦ વિદ્યાર્થીઓ અને પેસેન્જરો ને લઇને પોરબંદર આવતી હોય તે બસ છેલ્લા ચાર દિવસથી બંધ કરી દીધી હોય અને વિદ્યાર્થીઓ હેરાન-પરેશાન થતા હોય ત્યારે સરકારી ઊંઘતા તંત્રને જગાડીને ઉગ્ર રજુઆત કરી.
બસ ચાલુ કરાવીને જાતે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઈ ઓડેદરા તેમજ કોંગ્રેસ આગેવાન વિશાલભાઈ બારાઈ રવિભાઈ વાઘેલા ચિરાગભાઈ વદર જાતે મુસાફરી કરી ને બસમાં અંદર પહોંચ્યા હતા ત્યારે બસની અંદર ૧૩ જેટલી બેસવાની સીટના હોય અને અન્ય બેસવાની સીટ નીચે પડેલી નિહાળી હતી ત્યારે ચોંકી ગયા હતા અને આગામી દિવસોમાં આ બસને બધી બેસવાની સીટ નવી બનાવવા માટે રજૂઆત કરવામાં આવશે અને જાતે બસ લઇને વિદ્યાર્થીઓની સમસ્યાનું નિવારણ લાવ્યા હતા.