સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th January 2021

ગિરનાર ક્ષેત્રના વિકાસ માટે સંતો અને ભાજપના પદાધિકારીઓએ ગિરનારની યાત્રા કરી

ગિરનાર ક્ષેત્રનો વિકાસ માટે વરિષ્ઠ સંતો અને ભાજપના પદાધિકારીઓએ ગિરનારની યાત્રા કરી જયા વિકાસ કામોની જરૂરીયાત છે તેની નોંધ લઇ સરકારશ્રીને આગામી દિવસોમાં રજુઆત કરશે. ભવનાથ મંદિરના મહંત હરીગીરી મહારાજ અખીલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ પુ. મુકતાનંદજી મહારાજ આહવાન, અખાડાના ભારદ્વાજજી, કમંડલકુડ દત શિખરના મહંત મહેશગીરીબાપુ, પુ.ઇન્દ્રભારતીબાપુ તેમજ ભાજપના પદાધિકારીઓમાં સર્વશ્રી સાંસદ રાજેશ ચુડાસમા મેયર ધીરૂભાઇ ગોહેલ, શહેર ભાજપના પ્રમુખ પુનીત શર્મા, ગિરનાર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય પ્રદીપભાઇ ખીમાણી, શૈલેષ દવે, મહેન્દ્રભાઇ મશરૂ, એભાભાઇ કટારા સહીતનાએ ભવનાથ દાદાના દર્શન કરી ગિરનાર અંબાજી મંદિરે માતાજીની પુજા અભિષેક કર્યો હતો અને કમડલ કુંડ જૈન દેરાસર વગેરે સ્થળોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરેલ અને જે વિકાસ જરૂરી છે તે અંગે ચર્ચા-વિચારણા કરી મંત્રીશ્રીને ધ્યાને મુકવા નક્કી કરાયું હતું અને સામુહીક રજુઆત વિજયભાઇ રૂપાણીને કરાશે તેમ શૈલેષ દવેએ જણાવ્યું છે. (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:09 pm IST)