સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th January 2021

કેશોદમાં પ્રજાસત્તાક દિને મામલતદાર પી.એમ. અટારાના હસ્તે ધ્વજ વંદન

કેશોદ : કેશોદમાં ૭૨માં પ્રજાસત્તાક દિન નિમિત્તે કેશોદના મામલતદાર કચેરી ખાતે  મામલતદારશ્રી પી.એમ. અટારાના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ. ધ્વજ વંદન કાર્યક્રમ બાદ કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતુ. અને ત્યારબાદ કેશોદના રાજકીય આગેવાનો અધિકારીઓ દ્વારા મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કોરોનાની ગાઇડ લાઇનને ધ્યાનમાં લઇ મર્યાદિત સંખ્યામાં અધિકારીઓ પોલીસ હોમગાર્ડ જવાનો રાજકીય આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. જયારે બીજી તરફ  ચાર ચોક ખાતે અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ બાબુભાઇ રાવલિયા સહિત  આગેવાનો યુવાનો તેમજ ભારત વિકાસ પરિષદના પ્રમુખ ડો. સ્નેહલભાઈ તન્ના અને હોદેદારો દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી  ભારત વિકાસ પરિષદ તેમજ જુદા જુદા સામાજિક સંગઠન દ્વારા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ચાર ચોક ખાતે ભારત માતાનું પૂજન  કરી પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવેલ હતી. (તસ્વીર-અહેવાલ : કિશોર દેવાણી- કમલેશ જોષી, કેશોદ)

(12:06 pm IST)