સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th January 2021

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સાળંગપુરધામમાં દાદાને અનોખો શણગાર

વાંકાનેર : બોટાદ જિલ્લાના વિશ્વ પ્રસિધ્ધ સાળંગપુરધામ માં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદા ના દરબારમાં મંગળવારના રોજ પ્રજાસતાકદીનની ઉજવણી હર્ષઉલ્લાસથી કરવામાં આવેલ હતી , જેમાં પરમ પૂજ્ય કોઠારી સ્વામીશ્રી વિવેકસાગર સ્વામી મહારાજશ્રી માર્ગદર્શન હેઠળ પૂજારી સ્વામી શ્રી ડી , કે , સ્વામીજી મહારાજ દ્વારા સવારે સાડા પાંચ કલાકે ''મંગળા આરતી'' કરવામાં આવેલ હતી તેમજ સવારે સાત કલાકે વિશેષ  શણગાર ધરી ''શણગાર આરતી'' કરવામાં આવેલ હતી , શણગાર આરતીના દર્શનનો લાભ સર્વે સંતો , તેમજ હરી ભકતજનો એ લાભ લીધેલ હતો, ઉપરોકત તસ્વીરમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને અનોખો શણગાર , તેમજ આ દિવ્ય મૂર્તિની જેમણે  સ્થાપના કરેલ છે એવા દિવ્ય સદગુરૂદેવ સ્વામીશ્રી ગોપાળાનંદ સ્વામી મહારાજશ્રી (  બ્રહ્મલીન  )  તેમજ ભગવાન ના, ગાડા ઉપર ધ્વજ રાખેલ , તેમજ શણગાર આરતી ઉતારતા શ્રી ડી . કે . સ્વામીજી મહારાજશ્રી નજરે પડે છે  (તસ્વીર : હિતેશ રાચ્છ , વાંકાનેર)

(11:56 am IST)