News of Wednesday, 27th January 2021
પતિ સારી રીતે સાચવતો ન હોય અન્ય સાથે પ્રેમ થઇ જતા પરિણીતા ૨ સંતાનો સાથે ભાગી ગઇ'તી
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૭: મોરબીના રફાળેશ્વર પાનેલી રોડ પર રહેતા ધનજીભાઈ બાબુભાઈ બથવાર (ઉ.વ.૩૭) પોલીસને જણાવ્યું હતું કે ગત તા. ૩૦-૦૬-૨૦૨૦ ના રોજ સવારના સુમારે તેની પત્ની રતનબેન બથવાર (ઉ.વ.૩૦) બે સંતાનો આરતી (ઉ.વ.૧૩) અને દયા (ઉ.વ.૦૮) સાથે ગુમ થઇ હતી.
જે બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ ચલાવી હતી જેમાં પરિણીતા છ માસ બાદ મળી આવી છે જેમાં પરિણીતાને તેનો પતિ સારી રીતે સાચવતો ના હોય અને અન્ય સાથે પ્રેમ થઇ જતા જતી રહી હોવાનું ખુલ્યું છે.
(11:52 am IST)