વાંકાનેર શ્રી ગાયત્રી મંદિરની ગાયત્રી શાળામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી
(હિતેષ રાચ્છ દ્વારા) વાંકાનેર, તા. ૨૭ :. ટેકરી પર આવેલ સુપ્રસિદ્ધ શ્રી ગાયત્રી મંદિરની શ્રી ગાયત્રી પ્રાથમિક શાળા ખાતે ૭૨માં પ્રજાસત્તાક દિનની ઉજવણી ઉલ્લાસપૂર્વક કરવામાં આવેલ. જે પ્રસંગે વાંકાનેર આર.એફ.ઓ. ટી.એન. દઢાણીયા હાજર રહેલ અને તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. તેમની સાથે વનપાલ જે.એમ. ઝાલા અને કે.એલ. રંગપરા હાજર રહ્યા હતા. તેમજ વનરક્ષક રોજાસરાભાઈ, વાઘેલાભાઈ, માલકીયાભાઈ તથા ગોવાણીબેન તથા તમામ સામાજીક, વનીકરણ રેન્જમાંથી પધારેલ હતા. ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કિર્તીબા જાડેજા તથા કેતનભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે ખાસ મીનાબેન કાપડીએ હાજરી આપી હતી.
શ્રી ગાયત્રી મંદિરના શ્રી અરવિંદભાઈ રાવલ દ્વારા આરાધના કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં શ્રી ગાયત્રી પરિવારના નરેન્દ્રભાઈ, શૈલેષભાઈ, ભરતસિંહ, સુરૂભા, મગનભાઈ અને શ્રી ગાયત્રી સંકુલનો સ્ટાફ હાજર રહ્યો હતો.