જામનગરમાં આર્થિક ભીંસથી ફાંસો ખાધો
જામનગર, તા.૨૬: અહીં પોલીસ હેડકવાર્ટસ પાછળ રહેતા ભગીરથસિંહ સોઢાએ પોલીસમાં જાહેર કરેલ છે કે, નરેન્દ્રસિંહ પ્રાગજી જાડેજા ઉ.વ. ૩ર એ પોતાની આર્થિક પરિસ્થિતિના કારણે ભીંસમાં આવી જતાં પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લેતા મરણ થયેલ છે.
કિરણ સાથે કેમ વાત કરે છે તેમ કહી ધમકી
જામજોધપુરમાં રહેતા મીલીન્દભાઈ મનુભાઈ પરમાર ઉ.વ. ર૭ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, અમીત મકવાણા રહે. વનાણાવાળાએ કીરણ સાથે કેમ વાત કરે છે તેમ કહી મોબાઈલ ફોન પર ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ છે.
જાહેરમાં બખેડો કરતા
સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હે.કોન્સ. રવિરાજસિંહ જાડેજાએ ફરીયાદ નોંધાવી છે કે સાહનવાજ હુશેનભાઈ કકલ, હુશેન હાસમભાઈ કકલ, મુસ્તાક હુશેનભાઈ કકલ, ખાલીફ જુસબભાઈ ચામડીયા, ઉમર જુસબભાઈ ચામડીયા, જાવીદ ખાલીદભાઈ ચામડીયાએ સલીમબાપુના મદ્રેસા પાછળ શોપીંગ સેન્ટર પાસે જાહેરમાં એકબીજા સાથે ઉંચા અવાજે બોલાચાલી કરી બખેડો કરી ગુન્હો કરેલ છે.