ઉનામાં પોલીસ ફરિયાદ કેમ કરી ? તેમ કહીને તલવાર વડે હુમલોઃ ૨ મહિલા સહિત ૪ ઘવાયા
(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૨૬ :. શહેરના ભીમપરામાં બે પરિવાર વચ્ચે પોલીસ ફરીયાદ કેમ કરી ? તેમ કહી તલવાર વતી હુમલો કરતા બે મહિલા અને બે પુરૂષોને ઈજા થતા સામસામી પોલીસ ફરીયાદ નોંધાઈ છે.
ભીમપરા વિસ્તારમાં રહેતા મધુબેન દેવાભાઈ બાંભણીયાના ઘરે તે જ વિસ્તારમાં રહેતા બોઘાભાઈ દેગણભાઈ મકવાણા, મધુભાઈ ગીગાભાઈ મકવાણા, દિવ્યેશ મોહનભાઈ બાંભણીયા તલવાર લઈને ગયેલ અને કહેલ કે 'તું અમારા વિરૂદ્ધ કેમ પોલીસમાં ફરીયાદ આપવા ગયેલ હતો ?' તેમ કહી ગાળો આપી તલવાર, લાકડા-ધોકા વતી હુમલો કરતા પતિ-પત્નિને ગંભીર ઈજાઓ-ફ્રેકચર થયેલ દવાખાને દાખલ કરતા ૩ સામે પોલીસ ફરીયાદ નોંધાવી હતી. સામાપક્ષે દેવા બાબુ બાંભણીયા, સંજય દેવા બાંભણીયા, પાંચુ બાબુ બાંભણીયા રે. ઉનાવાળાએ પણ પાતળેશ્વર મહાદેવ મંદિર પાસે મધુભાઈ ગીગાભાઈ મકવાણા કૂતરાને રોટલા ખવડાવવા જતા રોટલા આપવાની ના પાડી ગાળો આપતા હતા ત્યારે બોઘાભાઈ મકવાણા સમજાવવા વચ્ચે પડતા ૩ લોકોએ તલવાર, ધોકાવતી હુમલો કરી બોઘાભાઈ મકવાણાને ઈજા કર્યાની પોલીસમાં મધુભાઈ ગીગાભાઈ મકવાણાએ ફરીયાદ નોંધાવી હતી.