સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th November 2021

ભાવનગરમાં વ્હોરા ધર્મગુરૂના જન્મદિને વિવિધ કાર્યક્રમો

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણઃ દાઉંદી વ્હોરા સમાજના દિવંગત બાવનમાં દાઈ તાજદાર ડો. સૈયદના અબુલ કાઈદ જોહર મોહંમદ બુરહાનુદ્દીન સાહેબ (રી.અ.)ની ૧૧૧મી જન્મ જયંતિ અને વર્તમાન ત્રેપનમાં દાઈ (સર્વોચ્ચ ધર્મગુરૂ) ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલિકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉં.શ.)ના ૭૮માં જન્મદિન અંગે ભાવનગર દાઉંદી વ્હોરા સમાજે ભાવનગરના આમિલ સાહેબની રજા મુબારકથી વ્હોરા બિરાદરોએ મજલીસ, વાએઝ, જુલુશ, ન્યાજ જેવા કાર્યક્રમો યોજી બન્ને દાઈઓને ગર્વભેર યાદ કર્યા હતા. ખાસ કરીને ભાવનગરમાં રકતદાન અને હોસ્પીટલ જેવી સેવામાં મોખરે રહેતું બુરહાની ગ્રુપના ઈસ્માઈલભાઈ ટીનવાળા, મોહંમદભાઈ રંગવાળા, શબ્બીરભાઈ ઝવેરી, અમીરભાઈ સુવાણ, મોહંમદભાઈ ટીનવાળા વગેરે સભ્યોએ પોલીસ અધિક્ષક સફી હસન અને ડીવાયએસપી ડી.ડી. ચૌધરીની મુલાકાત લઈ ખુશીની આપ-લે કરી હતી.

 

(9:57 am IST)