જસદણના રૂડા ભગતના મૂલ્યવાન દાનને આવકારતા હરિભાઈ
(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા., રપઃ તાજેતરમાં પાટીદાર સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના હિત માટે રૂપિયા પાંચલાખ રૂપિયાનું દાન કરનારા ઉંદ્યોગકાર રૂડાભાઈ પટેલ (ભગત) ના આ દાનને યોગ્ય સમયનું ઉંચિત પગલું ગણી અને તેમની આ દરિયાદિલીને પટેલ સમાજના યુવા કાર્યકર હરિભાઈ પટેલ એ આવકારી યાદીમાં જણાવ્યું હતું કેજસદણ પંથકમાં અનેક જરૂરિયાત વાળા પરિવાર વસે છે ખાસ કરીેને હાલના માહોલમાં લોકોને એક તરફ ધંધા રોજગારમાં મંદી બીજી બાજુ શિક્ષણ પણ ખર્ચાળ બની રહ્યું છે આવા સંજોગોમાં અનેક પરિવારોને પોતાના સંતાનોના શિક્ષણ માટે ક્યારેય ન લંબાવાયો હાથ લંબાવો પડી રહ્યો છે આવા સમય વચ્ચે પાંચ લાખ રૂપિયાનું દાન ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના જીવનમાં અજવાળું પાથરશે.
હીરપરાએ વધુમાં જણાવ્યું હતું કે જસદણ પંથકના ઘરેણા સમાન ભગત સાહેબે તેમના જીવનમાં હજારો વિદ્યાર્થીઓ દર્દીઓ જીવનમાં ફુલ નહી તો પાંખડી રૂપે મદદ કરી ઓલાઇ જતા દિવડાઓમાં પ્રકાશ રેલાવવાનું ભગીરથ કાર્ય કરી મુઠ્ઠી ઉં઼ચેરા માનવી પુરવાર થયા છે. તેનથી ઘણા પરીવારોમાં રાહત વ્યાપી જ છે. તેમનું આ દાન પણ અનેક વિદ્યાર્થીઓમાં રાહત બનશે એમ હરીભાઇએ અંતમાં જણાવયુ઼ હતું.