અમરેલી અને રાજુલાના ર શખ્સો પાસા હેઠળ જેલમાં ધકેલાયા
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ર૬ :.. અમરેલી શહેર અને રાજૂલા તાલુકામાં રહેતા તથા જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલા બે ઇસમોને પાસા હેઠળ ધકેલવાના આદેશ બાદ અમરેલી એલસીબીની ટીમ દ્વારા ધરપકડ કરીને વડોદરા તથા અમદાવાદની જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. રાજૂલાના વાવેરા ગામે રહેતા વલ્લભ પૂંજા સોલંકી અને અમરેલીના રામકુ નનાભાઇ માથાસુળીયા સામે પોલીસ દ્વારા તેને પાસા હેઠળ મોકલવા માટેની દરખસ્તા કરવામાં આવી હતી. જેને અમરેલી કલેકટર દ્વારા મંજૂરી અપાતા અમરેલી એલસીબીની ટીમ દ્વારા આ બન્ને આરોપીઓની ધરપકડ કરાવવામાં આવી છે. આ બન્નેને પાસા હેઠળ અમદાવાદ અને વડોદરાની જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યા છે.
આપઘાત
સાવરકુંડલાના અમૃતવેલના રસ્તે આવેલ પોતાની વાડીમાં ખોડાભાઇ બેચરભાઇ નાકરાણી ઉ.૪૮ કોઇ અગમ્ય કારણોસર વાડીમાં કુવા કાંઠે આવેલ થાંભલા સાથે દોરડા વડે ગળાફાંસો ખાઇ લેતા. મોત નિપજયાનું નાનાભઇ રાહુલભાઇ બેચરભાઇ નાકરાણીએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં જાહેર કરેલ છે.