ગરવા ગિરનારની લીલી પરિક્રમાનું પ્રતિકાત્મક ઉદ્ઘાટન : મેયર - કલેકટર - સાધુ - સંતોની ઉપસ્થિતિ
જૂનાગઢ : કોરોના મહામારીના કારણે આ વર્ષે પરિક્રમા રદ્દ થઇ હોવાથી સાધુ - સંતો - પદાધિકારીઓ ઉતારા મંડળના આયોજકોએ પચ્ચીસ ભાવિકો દ્વારા ધાર્મિક પરંપરા અનુસાર દેવઉઠી એકાદશીના પર્વે રાત્રે ૧૨ કલાકે ઇન્દ્રભારતીબાપુના ગેટ પૂજનવિધી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉપરોકત તસ્વીરમાં પૂજનવિધી સાથે પ્રતિકાત્મક પરિક્રમાનું ઉદ્ઘાટન કરતા જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી મ્યુ. કમિશનર તુષાર સુમેરા, મેયર ધીરૂભાઇ ગોહેલ, ડે.મેયર હિમાંશુ પંડયા, પૂ. ઇન્દ્રભારતીબાપુ, શેરનાથબાપુ, હરીહરાનંદ ભારતીબાપુ, હરીગીરીબાપુ, બુધનાથબાપુ તેમજ ઉતારા મંડળના ભાવેશ વેકરીયા, શહેર ભાજપના પ્રમુખ પુનિત શર્મા, પૂર્વ મેયર આદ્યાશકિતબેન મજમુદાર તેમજ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)