News of Saturday, 26th October 2019
તળાજાના ગોરખી ગામના આધેડ પર હુમલો કરવા બદલ પાંચ સામે ફરિયાદ
ભાવનગર તળાજાના ગોરખી ગામના આધેડ ઉપર બોથડ પદાર્થ તથા ગડદા પાટું નો માર મારવા બદલ ગામનાજ પાંચ વ્યકિત ઓએ ફરિયાદ બાબતે હુમલો કરી ઇજા પહોંચાડી હોવાની ફરિયાદ દાખલ થઈ છે.
ગોરખી ગામના ધરમશી દુદાભાઈ જોળીયા એ ગામના ભરત વેલા,એક અજાણ્યા ઈસમ, ભુપત મંગા,અરવિંદ ભનું,દુલા શિવ વિરુદ્ઘઙ્ગ અગાઉ કરેલ ફરિયાદ બાબતે સમાધાન કરી લેવા બાબતે ધમકી આપી હુમલો કરી માથા સહિતના શરીર ના ભાગે ઈજાઓ પહોંચાડવા બદલ ફરિયાદ નોંધાવી છે.
(11:26 am IST)