જામનગરમાં લોહાણા જ્ઞાતિના કાર્ડ ધારક પરિવારોને જીવનજરૂરી વસ્તુ સહિતની રાશનકિટનંુ વિતરણ કરાયુ
જામનગર : શ્રી જામનગર લોહાણા મહાજનવાડીના ધામેચા વિંગના મુખ્ય દાતા સ્વ.ખોડીદાસભાઈ રતનશીભાઈ ધામેચાની પુુણ્યતિથિ નિમિતે જામનગરમાં વસવાટ કરતાં લોહાણા જ્ઞાતિના દરિદ્રનારાયણ કાર્ડ ધારકોને જીવનજરૂરી અનાજ કરીયાણા સહિતની ચીજવસ્તુઓની કિટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતા પરિવારના પ્રદિપભાઈ ધામેચા, વિણાબેન ધામેચા, જામનગર લોહાણા મહાજનના મંત્રી રમેશભાઈ દતાણી, ખજાનચી અરવિંદભાઈ પાબારી, દિનેશભાઈ મારફતીયા, મનોજભાઈ અમલાણી, ભરતભાઈ કાનાબાર, રાજૂભાઈ હિડોચા, ભાવેશભાઈ દતાણી, ભાવેશભાઈ સચદેવ, જેન્તીભાઈ સામાણી સહિતના કાર્યકરો ઉપસ્થિત રહયા હતાં. જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ અને માનદમંત્રી રમેશભાઈ દતાણીની સંયુકત યાદીમાં જણાવવામાં આવ્યું છે.(તસ્વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી જામનગર