News of Monday, 26th September 2022
ગિરનારમાં બિરાજતા મહાકાળી માતાજીના મંદિરે શૃંગાર દર્શન
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૬ : જુનાગઢ ગીરીવર ગિરનાર ઉપર મહાકાળી માની ટૂંક આવેલી છે જેમાં કમંડળ કુંથી જંગલ ના કેડી રસ્તેથી જવાય છે અને માતાજી એક ગુફામાં બિરાજમાન છે અતિ પ્રાચીન માતાજીની મૂર્તિ છે અને ત્યાં પુરાતત્ત્વ હસ્તકનું આ નાનું એવું માતાજીનું સ્થાન છે ત્યાં પણ ભાવિકો દર્શન કરવા પહોંચી જાય છે મહાકાળી ની ટૂંકે જવા અતી કઠિન માર્ગ ઉપરથી યાત્રિકો જઈ રહ્યા છે અને આ નવરાત્રીમાં માતાજીના દર્શન કરી અને ધન્ય બને છે.( તસ્વીર : મુકેશ વાઘેલાઃ જુનાગઢ)
(1:31 pm IST)