સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th September 2020

ગોંડલ એસઆરપીમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ ચિંતા ઉપાધિ મુકિત સેમિનાર

ગોંડલઃ  એસઆરપી ગ્રુપ ૮ ના જવાનો માટે સ્ટ્રેસમેનેજમેન્ટ,ચિંતા ઉપાધિ મુકિત સેમીનાર નું SRPના એમ.ડી.પરમાર DYSP ના વડપણ હેઠળ આયોજન કરવામાં આવતા ગોંડલ SRP ગ્રુપ માં ફરજ બજાવતા કર્મચારીઓ,અધિકારીઓ માટે રોજિંદા જીવનમાં અને વર્તમાન સમયમાં કોરોના મહામારીમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સ ચિંતા ઉપાધિ મુકત ફરજ બજાવી શકે અને સ્ટ્રેસ મેનેજમેન્ટ દ્વારા રોજિંદા વ્યવહારમાં સામાન્ય જીવન કેમ જીવવું તેનું માર્ગદર્શન આપવા માટે ગોંડલ ના ડો.ચિરાગ સાતા એમ.ડી.,આર. ડી.મહેતા નિવૃત ચીફ એન્જી.અને પ્રકૃતિપ્રેમી હિતેશ દવેના વકતવ્યનું આયોજન કરવામાં આવેલ. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત અધિકારીઓ,કર્મચારીઓ અને SRP જવાનોને વ્યવસ્થિત અને જીવન ઉપયોગી માર્ગદર્શન આપતા ડો.ચિરાગ સાતા એ જણાવેલ કે આપણે જીવનના દરેક પ્રશ્નોને મેગ્નિફાઈ કરીને જોવાની આદત કેળવી છે તે નુકશાન કારક બને છે..પ્રકૃતિપ્રેમી હિતેશ દવેએ જણાવેલ કે જીવનમાં દરેક ડગલે મુંઝવતા પ્રશ્નોને અનુભવ અને સહજતાથી લઈને તેને હલ કરવાની આદત કેળવવી ખૂબ જરૂરી છે.આર. ડી.મહેતા એ તમામ જવાનોને તેમની લોકોની સેવા કામગીરી ને બિરદાવતા નોકરી અને ઘર કુટુંબને બેલેન્સ રાખી સારા વાણી વર્તન અને તંદુરસ્ત શરીર વડે જીવનમાં સફળતા મેળવી શકાય છે. DYSP એમ.ડી.પરમારે જણાવેલ કે વડીલોના જીવન અને અનુભવમાંથી તેમજ તેમનો આદર કરવાની આદત વડે જીવનમાં આવતા ચિંતા ઉપાધિ અને પ્રશ્નો નો હલ મેળવી શકાય છે. સમગ્ર કાર્યક્રમ નું સુંદર સંચાલન SRP PSI રાઠોડ દ્વારા કરવામાં આવ્યું.જાડેજા દ્વારા SRP જવાનો માટે પોતાનો સમય જ્ઞાન અને અનુભવ દ્વારા ઉપયોગી વકતવ્ય આપવા બદલ ડો.ચિરાગ,હિતેશ દવે,અને મહેતાસહેબ નો આભાર વ્યકત કરેલ...સેમિનારના આયોજન માં સુરેશ ગોંડલીયા નો સહયોગ મળેલ હતો. સેમિનારનો લાભ લેનાર જવાનોએ તજજ્ઞો દ્વારા આપવામાં આવેલ વકતવ્ય અને માર્ગદર્શન ખુબજ ઉપયોગી અને અસરકર્તા હોવાનો ભાવ વ્યકત કર્યો હતો.સેમિનાર યોજાયો તે તસ્વીર.

(11:24 am IST)