સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th September 2020

ધોરાજીમાં સદ્દગત પિતાને પુત્રીઓએ કાંધ આપી અંતિમ સંસ્કાર

ધોરાજીના સીનીયર એડવોકેટ રમણીકલાલ એસ.પટેલનું ટુંકી બીમારીથી સારવાર દરમ્યાન કરૂણ મોત થયેલ હતું સ્વ. રમણીકલાલ  એડવોકેટની સ્મશાન યાત્રા તેમના નિવાસ સ્થાનેથી તેમની પુત્રીઓએ કાંધ આપી હતી. સ્વ. રમણીકભાઇ ધોરાજીની અનેક સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયા હતા અને તેમની સ્મશાન યાત્રામાં વકીલ મંડળ જુદી-જુદી સંસ્થાઓના હોદ્દેદારો પરીવારજનો સ્નેહીઓ સહીતના જોડાયા હતા આ તકે વકીલ મંડળના પ્રમુખ વી.વી.વઘાસીયા, કાર્તિકેય પારેખ, કિર્તિભાઇ કોટીચા, સંજયભાઇ વાઢેર, લલીતભાઇ બાબરીયા, ચંદુભાઇ પટેલ સહીતના સ્મશાન યાત્રામાં જોડાયા અને સ્વ.રમણીકલાલ પટેલની પાંચે પુત્રીઓ તેમના પિતાને શાસ્ત્રોકવિધીથી અગ્ની સંસ્કાર કરેલ હતા અને સ્વ.રમણીકલાલ પટેલ એડવોકેટની સેવાઓને બીરદાવી શ્રદ્ધાં સુમન અર્પણ કરેલ હતી. તસ્વીર અંતીમ યાત્રા નીકળી તે  તસ્વીર

(11:21 am IST)