News of Wednesday, 26th September 2018
અજડ અને બિનઅનુભવી અધિકારી ગીરમાં કરે છે વહીવટઃ સિંહ પ્રેમીઓમાં ભારે આક્રોશ
રાજકોટ :પૂર્વ વિશ્વમાં એશિયાટીક સિંહો માત્ર આપણા ગીરના જંગલોમાં જ જોવા મળે છે. પરંતુ અજડ, બિનઅનુભવી અને કામચોર વનવિભાગના અમુક અધિકારીઓ કે જેને ગીર વિશે થોડી પણ જાણકારી નથી તેવો આક્રોશ સિંહ પ્રેમીઓએ વ્યક્ત કરીને કહ્યું હતું કે એવા લોકોને લીધે આજે સિંહો પર જોખમ તોળાઈ રહ્યુ છે. ગીરના માલધારીઓ અને સિંહ પ્રેમીઓએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે,અમે જેની વર્ષો સુધી રક્ષા કરી તે સાવજોને આ તંત્ર મારી નાખશે.
(4:23 pm IST)