મોરબી પાસે અકસ્માતમાં રફાળેશ્વરના દાદા અને પૌત્રીના મોતથી અરેરાટી
તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત બાઇક અને ટ્રક નજરે પડે છે. (તસ્વીર : પ્રવિણ વ્યાસ-મોરબી)
મોરબી, તા. ર૬ : મોરબી નજીક વાંકાનેર હાઇ-વે પર અકસ્માતમાં રફળેશ્વરના દાદા અને પૌત્રીના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામના આંબેડકરનગરમાં રહેતા ભલાભાઇ હરીભાઇ સોલંકી ઉ.વ.૬૦ તેમની પત્ની નાગલબેન ભલાભાઇ સોલંકી ઉ.વ.પપ અને પૌત્રી મમતા પ્રવિણભાઇ સોલંકી ઉ.વ.૪ ની દવા અર્થે મોરબી આવવા બાઇક પર નીકળ્યા હતાં. ત્યારે લાલપર નજીક તેઓનું જીજે-૦૩-ડીઇ-૩૮૪૩ નંબરનું બાઇક ટ્રક નં. આરજે-૦પ-જીવી-ર૯૮ર પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ભલાભાઇ અને મમતાના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જયારે નાગલબેનને ઇજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દાદા અને પૌત્રીના મોતથી રફાળેશ્વર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. (૮.૭)