News of Sunday, 26th July 2020
જસદણમાં વધુ બે અને વિરનગરમાં એક કોરોના પોઝીટીવ
જસદણના સીતારામ વાડી વિસ્તારના યુવાન અને આદમજી રોડ પર રહેતા યુવતી તેમજ વીરનગરના આધેડને કોરોના વળગ્યો
જસદણનાં સાણથલીમાં આજે એક કોરોના પોઝીટીવ આવ્યા બાદ જસદણ શહેરમાં બે અને વિરનગરમાં એક કેસ પોઝીટીવ આવતા તંત્રમા દોડધામ મચી ગઇ છે.
જસદણનાં સીતારામ વાડી વિસ્તારમાં રહેતા વિપુલભાઈ કેશુભાઈ હિરપરા ( ઉ.વર્ષ 37) આદમજી રોડ ઉપર રહેતા પુનમબેન મયંકભાઇ ઉનડકટ (ઉ.વર્ષ 30 )અને વિરનગરના નાગજીભાઈ રાજાભાઈ વેકરીયા (ઉ.વર્ષ 45) ને કોરોના પોઝીટીવ આવતા તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જસદણ પંથકમાં આજે કુલ ચાર કેસ આવ્યા છે જેમાં સાણથલી ગામના વલ્લભભાઈ ચનાભાઇ ધડુક (ઉ વર્ષ 72) નુ મૃત્યુ થયુ છે.
(6:26 pm IST)