News of Sunday, 26th June 2022
સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન : માણાવદર અને વિસાવદરમાં 2 ઇંચ અનરાધાર વરસાદ ખાબક્યો
ઉપલેટામાં 1.8 ઈંચ, વેરાવળમાં 1.3 ઈંચ, લાઠીમાં 1.3 ઈંચ, ગોંડલમાં 1 ઈંચ વરસાદ નોંધાયો
રાજકોટ : રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં મેઘરાજા મેહરબાન થયા છે, જૂનાગઢના માણાવદરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે વિસાવદરમાં 2 ઈંચ, ઉપલેટામાં 1.8 ઈંચ, વેરાવળમાં 1.3 ઈંચ, લાઠીમાં 1.3 ઈંચ, ગોંડલમાં 1 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વંથલીમાં 0.8 ઈંચ વરસાદ, ધોરાજીમાં 0.8 ઈંચ અને બગસરામાં 0.8 ઈંચ વરસાદ નોંધાયો છે
(8:32 pm IST)