જામવાડી જીઆઇડીસીમાં વેકસીનેશન કેમ્પ
ગોંડલ : સ્વ માધવજીભાઈ રવજીભાઇ કમાણી તથા સ્વ જયશ્રીબેન માધવજીભાઈ કમાણી ની ૮ મી માસીક પુણ્યતિથી સ્મરણાર્થે જામવાડી જીઆઇડીસી ખાતે કોરોના વેકસીનેસન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું. ૧૮ વર્ષ થી વધુ ઉમર ના લોકો ને ઝડપ થી અને વ્હેલી તકે રસી મળે એવા હેતુ થી જામવાડી ખાતે પુષ્પદીપ એન્ટરપ્રાયઝ ખાતે ગોંડલ હેલ્થ ઓફિસર ડો. જી પી ગોયલ તથા ડો. યશપાલભાઈ રાઠોડ તથા કોરોના સુપરવાયઝર નિરવભાઈ વ્યાસ તથા નયનભાઈ લશ્કરી એફ એચ ડબ્લ્યૂ પ્રવિણાબેન તથા અન્ય હેલ્થ સ્ટાફ ના સહયોગ થી આ કેમ્પ નું આયોજન થયેલ. કેમ્પ નું દીપપ્રાગટ્ય માં જામવાડી જીઆઇડીસી ના પ્રમુખ બાવભાઈ ટોળીયા તથા ભાજપ અગ્રણી અલ્પેશભાઈ ઢોલરીયા તથા ક્ષત્રિય અગ્રણી તથા ભાજપ અગ્રણી જયદીપસિંહ જાડેજા તથા ડો. ગોયલ હાજર રહ્યા હતા . આ કેમ્પ માં ૨૩૦ લોકો એ લાભ લીધો હતો . સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે રવીભાઈ કમાણી , દિવ્યેશભાઈ કમાણી, દિવ્યેશભાઈ સાવલિયા ,અરકેશ ભાઈ , પાવન ભાઈ, જયરાજભાઈ, પ્રમુખસિંહ, વિકિ ભાઈ, ફેનીલભાઈ, પ્રતિકભાઈ, સાહિલભાઈ તથા ગ્રુપ ના અન્ય સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી કેમ્પના પ્રારંભ દિપપ્રાગટયની તસ્વીર.