સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th June 2019

વંથલીમાં યોગ સાથે સેવા યજ્ઞ

વંથલી(સોરઠ) જનસેવા સમાજ વંથલી દ્વારા ૧૭૧મો નેત્રયજ્ઞ અને ૪૧મો સર્વ રોગ સારવાર કેમ્પ યોજાયો. પ્રારંભમાં ડો.હેતલબેન વાઘેલા, આયુ.દવાખાનુ જામકા તા.જુનાગઢ તથા ડો.સચિન દલાલ આય. દવાખાનુ અગતરાય, તા.કેશોદ દ્વારા હાજર દર્દીઓને યોગની માહીતી સાથે તમામને યોગાસન કરાવવામાં આવેલ. નેત્રમણી સાથેના મોતીયાના ઓપરેશન થયા અને સર્વ રોગ સારવાર કેમ્પમાં દવા ફ્રી આપવામા આવી. વંથલીના ૬૦ ગરીબ પરિવારોને કેરી તથા અનાજનુ વિતરણ કરવામા આવ્યુ તેમજ અંત્યોદય પરિવારોને ચંપલનુ વિતરણ કરવામાં આવ્યું. ગૌસેવક શશીકાંત ધંધુકીયા તથા દાતાશ્રી પરબતભાઇ જાદવ (વનરાજ)નું  સન્માન કરવામા આવ્યુ હતું. યોગ નિર્દેશન કરવામા આવ્યુ તે તસ્વીર.

(2:10 pm IST)