સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th June 2019

જામનગર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં યોગ દિવસની ઉજવણી

જામનગરઃ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર ખાતે 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સવારે ૭ થી ૮ વાગ્યા સુધી યોગ નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય ઋષિમુનીઓ દ્વારા સમગ્ર વિશ્વના કલ્યાણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે આપેલી અનમોલ ભેટ એટલે યોગ. પાંચમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' નિમિતે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ વૈદ્ય સંજીવ ઓઝા, યુનિવર્સિટી ઓફિસર્સ સેનેટ-સિન્ડીકેટ સદસ્યો, યુનિવર્સિટીના વિવિધ વિભાગના વડાશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તથા વિદેશી વિદ્યાર્થીઓ વગેરેએ બહોળી સંખ્યામાં ભાગ લઈ યોગ કર્યા હતા. આયુર્વેદ યુનિવર્સિટી જામનગર દ્વારા યોગ જાગૃતિ માટે એક રેલીનું આયોજન કરવામાં આવેલ. આ યોગ જાગૃતિ રેલીમાં યુનિવર્સિટીના રાષ્ટ્રીય સેવાયોજનના સ્વયંસેવકો, અધિકારીશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, કર્મચારીઓ તથા વિદ્યાર્થી ભાઈઓ, બહેનોએ ભાગ લીધો હતો (તસ્વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી-જામનગર)

(1:18 pm IST)