સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 26th June 2019

ઉપલેટાના લીલાખા ગામમાં વૃધ્ધા શાંતાબેન દાઝયાઃ રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૬: ઉપલેટા તાબેના લીલાખા ગામે રહેતાં શાંતાબેન લક્ષમણભાઇ વઘેરા (ઉ.૬૦) નામના વણકર વૃધ્ધા દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

શાંતાબેનના પતિ ખેત મજૂરી કરે છે. તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. શાંતાબેન ચુલા પર રસોઇ બનાવી રહ્યા હતાં ત્યારે ચુલા ઉપરના ભાગે આવેલી અભેરાઇ પરથી કેરોસીન ઢોળાતાં ભડકો થતાં દાઝી ગયાનું પોલીસની પ્રાથમિક પુછતાછમાં જણાવાયું છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ઉપલેટા જાણ કરી હતી.

(11:45 am IST)