પોરબંદરમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવાનનો ઝેર પીને આપઘાત
પોરબંદર, તા. ર૬ : શહેરમાં વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણીથી ત્રાસ આપવાનું વધતું જાય છે. થોડા સમય પહલા એક વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યા બાદ વધુ એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.
પંચવટી સોસાયટીમાં રહેતા કપીલ કિશોર ખંઢેરીયા (ઉ.વ.૩પ) એ વ્યાજે પૈસા લીધા બાદ વ્યાજખોરો દ્વારા ત્રાસ વધતા મજબૂરીથી ઝેરી દવા પી લેતા મરણ ગયેલ છે. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં આ બનાવની જાણવા જોગ એન્ટ્રી થઇ છે.
થોડા દિવસ પહેલા એક લોહાણા સમાજના વેપારીએ વ્યાજે પૈસા લીધા બાદ વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરીને ધમકીઓ આપવાનું શરૂ કરતા ત્રાસ વધતા આપઘાત કરી લીધો હતો તેની બન્ને પુત્રીએ પિતાની પ્રાર્થના સભામાં સમાજના આગેવાનો સમક્ષ પોતાનું કોઇ વડીલ ન હોય અને વ્યાજખોરોની સારી દાનત ન હોય મદદ માટે દર્દભરી અપીલ કરી હતી.