સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 26th June 2018

બીલખાની નવોઢા શકીનાએ ઘાંટવડમાં માવતરે ભુલથી એસિડ પી લેતાં મોત

છ માસ પહેલા જ લગ્ન થયા હતાં: રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૨૬: જુનાગઢના બીલખામાં સાસરૂ ધરાવતી અને છ માસ પહેલા જ પરણેલી શકીના સાજીદ માલવીયા (ઉ.૨૩) ઇદ કરવા માટે કોડીનારના ઘાંટવડ ગામે માવતરે આવી હોઇ અહિ ભુલથી એસિડ પી લેતાં મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

શકીનાના પિતા મુસાભાઇ સુલેમાનભાઇ મેતરના કહેવા મુજબ પોતે દિકરી શકીનાને ઇદ કરવા માટે તેડી આવ્યા હતાં. ગઇકાલે પોતે અને પત્નિ બહાર હતાં ત્યારે શકીનાએ ઘરે પેટના દુઃખાવાની દવાને બદલે ભુલથી એસિડ પી લીધુ હતું. તબીયત બગડતાં કોડીનાર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.

આજે સવારે તેણીએ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારાએ જરૂરી કાર્યવાહી કરી હતી. શકીનાની શાદી છ મહિના પહેલા જ થઇ હતી. તેનો પતિ સાજીદ સ્કૂલવેન હંકારે છે.

(11:57 am IST)