મોમાઇ માતાજી મંદિર (કટારીયા)નો ૧૪ મો પાટોત્સવ સોમવારે યોજાશે
રાજકોટ : મોમાઇ માતાજી મંદિર (કટારીયા-કચ્છ) ખાતે તા.ર૯ને સોમવારના રોજ ૧૪ માં પાટોત્સવ નિમિતે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૮ કલાકે યજ્ઞની શરૂઆત થશે. આ ધાર્મિક કાર્યમાં વિરભદ્રસિંહ કિરીટસિંહ જાડેજા (નવાગામ, હાલ થાન) હવનનો લાભ લેશે. આ પ્રસંગે મહાપ્રસાદની વ્યવસ્થા પણ જાડેજા પરિવાર દ્વારા ગોઠવવામાં આવી છે. આ શુભ પ્રસંગનો લાભ લેવા દરેક કાંયાણી જાડેજા પરિવારોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ ઉપરાંત મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા ધો.પ થી ઉચ્ચશિક્ષણ સુધી સારૂ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન દર વર્ષે યોજાતુ હોય છે. આ માટે જાડેજા જયેન્દ્રસિંહ મહિપતસિંહ (મો.નં. ૯૯રપર ૪૮રપપ), જાડેજા ધીરૂભા નારૂભા (મો.નં. ૭૯૯૦પ પપ૭૮૧) અને જે.પી.જાડેજા (મો.નં. ૯૯૧૩૦ પ૮ર૪૭)નો સંપર્ક સાધવા અને માર્કશીટ મોકલવા જણાવાયું છે.