જૂનાગઢ નરસિંહ મહેતા યુનિ.ના ભાવિકાબેન ભરડાને ગોલ્ડ મેડલ
જૂનાગઢ : ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગમાં વર્ષ ૨૦૨૧-૨૨માં પ્રથમ આવનાર ભાવિકાબેન ભરડાને સાંદીપની પોરબંદર ખાતે યોજાયેલ દિક્ષાંત સમારોહમાં કેશોદ જગન્નાથ આશ્રમનાં પ્રણેતા અને ગિરનારી સાધક રતીદાદા જોશીના નામથી ગોલ્ડ મેડલ આપવામાં આવેલો. ઇતિહાસના સનિષ્ઠ શિક્ષક તરીકે આશરે ચાર દાયકા સુધી ધેડ વિસ્તારમાં શ્રેષ્ઠતમ કામગીરી કરી અનેક વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડવામાં રતીદાદા જોષીનું બહુ મોટું યોગદાન રહેલું. પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં યોજાયેલ યુનિવર્સિટીનાં દ્વિતીય પદવીદાન સમારોહમાં અપાયેલ આ એવોર્ડ સમયે કેશોદ આશ્રમના હિમાંશુભાઈ જોષી, પોરબંદરના લોકલાડીલા સાંસદ રમેશભાઈ ધડુક, શિક્ષણમંત્રી ઋષિકેશભાઈ પટેલ, તેમજ કુલપતિ ચેતનભાઈ ત્રીવેદી ઉપસ્થિત રહ્યા હતા.