News of Friday, 26th May 2023
ગોંડલ શ્રી ખીજડાવાળા મામાદેવ મંદિરે આંબા મનોરથ : ૭૫ કિલો કેરીનો શ્રૃંગાર
ગોંડલ : જય શ્રી ખીજડાવાળા મામાદેવ મંદિર,૩૧-ભોજરાજપરા,ગોંડલના આંગણે તા.૨૫-૦૫-૨૦૨૩ ને ગુરુવારના રોજ શ્રી મામાદેવના પાવન ચરણોમાં આંબા મહોત્સવનુંઙ્ગ મંગલ આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં અંદાજે ૭૫ કિલો કેરી થી શણગાર કરવામાં આવ્યો હતો. સર્વે ભકતજનો એ સાંજે ૫ૅં થી રાત્રીના ૧૧ વાગ્યા સુધી આયોજિત આંબા મહોત્સવ નોઙ્ગ દર્શન નો લાભ લીધો હતો...
મંદિર નાઙ્ગ મહંત શ્રી ચંદુબાપુ દેશાણી તેમજ લઘુ મહંત શ્રી મયુરબાપુ એ સર્વે ભકતજનો ને આશીર્વાદ પાઠવ્યા હતા.
( તસવીર- અહેવાલ ૅંૅં ભાવેશ ભોજાણી - ગોંડલ )
(10:53 am IST)