ઉનાના સીમરધામ જગજીવન સેવા આશ્રમમાં વિશ્વ શાંતિ માટે પારાયણ જ્ઞાનયજ્ઞ યોજાયો
(નવીન જોષી દ્વારા) ઉના,તા. ૨૬ : તાલુકાના સિમર ધામ જગજીવન બાપુ સેવા આશ્રમમાં સર્વ જીવ માત્રના કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે ૬ દિવસીય ભજન પારાયણ જ્ઞાન યજ્ઞ યોજવામાં આવેલ હતો. બંને ટાઇમ પુજય હિંમત જીવન બાપુ ગુરૂ જગજીવન બાપુ ભજન પારાયણ કરેલ હતી જેનો લાભ સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રથી સેવકો ભકતો મોટી સંખ્યામાં હાજરી આપી લાભ લીધો હતો.
પારાયણના બંને સમયે હજારો લોકોએ સમુહ પ્રસાદ લીધો હતો. સાંજે મીરા આખ્યાન અને ગુરૂ પુજન કરવામાં આવ્યું હતું. રાત્રે મહારાસ યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય કાળુભાઇ રાઠોડનું ઉપરણુ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું. છઠ્ઠા દિવસે પુર્ણાહુતિ યજ્ઞ કરાયેલ અની બીલખામાં આવેલ આંનદ આશ્રમમાં જે બટુકોને જનોઇ આપવામાં આવી હતી તેમનું સન્માન કરવામાં આવેલ હતું. છ દિવસ સુધી આશ્રમના પ્રમુખ દિનેશભાઇ શાહ (મુંબઇ), ભાવેશભાઇ ઉપાધીયા, જીતુભાઇ શાહ અને ઉના તાલુકાના તમામ ભકતજનોએ સેવા આપી હતી