સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 26th May 2022

સોમવારે જુનાગઢ ભવનાથ ખાતે આવેલ શનિદેવ મંદિરે શનિદેવનો જન્‍મોત્‍સવ ઉજવાશેઃ મહાયજ્ઞ પુજા ભોજન પ્રસાદનું આયોજન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૬ : જુનાગઢ ભવનાથ તળેટી ખાતે આવેલ શ્રી શનિદેવ મંદિર ખાતે આગામી તા.૩૦ને સોમવારના રોજ શનિદેવના જન્‍મોત્‍સવની  ભાવભેર ઉજવણી કરવામાં આવનાર છે.

મંદિરના મહંત તુલસીનાથબાપુએ જણાવ્‍યું હતું કે શનિદેવ જયંતિ નિમિતે સોમવારે સવારે ૭.૩૦ કલાકે મહાયજ્ઞનો પ્રારંભ થશે અને ૯.૩૦ કલાકે ગણપતિ શનિદેવ સહિત સ્‍થાપિત દેવોનું પુજન કરાશે અને બપોરે મહાપ્રસાદ ભોજન અને સાંજે ૬ કલાકે પુર્ણાહુતી થશે તો આ પ્રસંગે સર્વધર્મપ્રેમી જનતાએ દર્શન અને ભોજન પ્રસાદનો લાભ લેવા મંદિરના મહંત પુ. તુલસીનાથબાપુએ જાહેર નિમંત્રણ પાઠવ્‍યું છે.

(1:34 pm IST)