News of Saturday, 26th May 2018
આગને કારણે સિંહોના ઘર ગીર જંગલના મિતિયાળા અભ્યારણમાંથી ૬ સિંહો ત્યાંથી નીકળી ખેતરમાં ધામા નાખ્યા
ગીર : આગને કારણે સિંહોના ઘર ગીર જંગલ તા. મીતિયાળા અભ્યારણમાંથી ૬ સિંહો ત્યાંથી નિકળી અને એક ખેતરમાં ધામા નાખ્યા છે. ગઈકાલે અચાનક આગ ફાટી નીકળી હતી, જે સતત બીજા દિવસે પણ યથાવત છે. આને કારણે અભ્યારણ્યમાંથી 6 સિંહોએ ત્યાંથી નીકળી બાજુના એક ખેતરમાં ધામા નાખ્યાં છે. આ સિંહ શનિવાર સવારથી ખેતરમાં ફરી રહ્યાં છે. વનવિભાગના અધિકારીઓએ મિતિયાળા અભ્યારણ્યની મુલાકાત લીધી છે અને સુરક્ષા ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. તેવું જાણવા મળ્યું છે.
(12:21 am IST)