સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th May 2018

સોમનાથમાં દરિયા કિનારે સફાઇ અભિયાન

પ્રભાસપાટણ : અહીયા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ગીર ફાઉન્ડેશન (ગાંધીનગર), જી.પી.સી.બી. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ દરિયાઇ કાંઠા આસપાસ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવેલ. જેમાં વેરાવળ - પાટણ સંયુકત નગરપાલીકા, અંબુજા સિમેન્ટ, જીએચસીએલ કંપની, સિધ્ધિ સિમેન્ટ, ઇન્ડીયન રેયોન, ગદરે મરીન, ગીર સોમનાથ સામાજીક વનીકરણ વિભાગ, વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એશોસિએશન, બી.વી.જીના અધિકારીઓ - કર્મચારીઓએ જોડાઇને કચરો એકત્રીત કરવા વાહન પસાર થાય ત્યારે સૌએ ઘરનો કચરો આપી સફાઇ અભિયાનમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ, પ્રભાસપાટણ)

(11:52 am IST)