સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th May 2018

જામજોધપુર નજીક દંપતિ પાસેથી ૨.૮૦ લાખની લૂંટ કરનારાની શોધખોળ

જામજોધપુર તા.૨૫ : જામજોધપૂર તાલુકાના વસંતપૂર ગામ નજીક બેંકમાંથી ધીરાણ લઇને જતા દંપતિની આંખમાં બે અજાણ્યા શખ્સોએ મરચાની ભૂકી છાંટી ૨.૮૦ લાખની લૂંટ ચલાવી જવા અંગે ફરિયાદ નોંધાવાઇ છે.

પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. તાલુકા વેરાવળ ગામે રહેતી હલીમાબેન જૂમાભાઇ પાટા અને તેના પતિ જૂમાભાઇ અલારખાભાઇ પાટા બેંકમાંથી રૂા૨.૮૦ લાખનુ ધિરાણ મેળવી બાઇક લઇને તેના ઘરે જતા હતા ત્યારે  વસંતપૂર ગામની ગોળાઇ પાસે બે  અજાણ્યા  શખ્સોએ  આંખમાં  મરચાની ભૂકી છાંટતા  આખોમાં બળતરા  થતાં બંને બાઇક ઉભુ રાખી  નીચે ઉતર્યા  બાદ  બંને શખ્સોએ  ૨.૮૦ લાખની રોકડ  સહિતની થેલી લૂંટી નાસી છુટ્યા હતા.

(11:47 am IST)