સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 26th May 2018

કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં ''વિશ્વાસઘાત'' દિવસની ઉજવણી

ભાજપ સરકારે ૪ વર્ષના શાસનમાં લોકો સાથે અન્યાય કર્યો : ''કાળી પટ્ટી'' બાંધીને વિરોધ પ્રદર્શન

રાજકોટ, તા. ર૬ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર સામે ''વિશ્વાસઘાત'' દિવસની ઉજવણી કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.

કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા તેના શાસનના ૪ વર્ષની સિદ્ધિઓ વર્ણવી રહી છે. પરંતુ લોકોને અન્યાય થઇ રહ્યો છે. તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઇ ચાવડાએ જણાવ્યું હતું.

કોંગ્રેસ પ્રદેશ સમિતિ દ્વારા આજે ''વિશ્વાસઘાત'' દિવસની ઉજવણી અંતર્ગત કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો સવારે ૧૦ થી ૧ર સુધી હાથમાં કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરશે.

પ્રદેશ કોંગ્રેસ દ્વારા સુચના અપાતા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક આગેવાનો, કાર્યકરોએ વિરોધ વ્યકત કર્યો હતો.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ કહ્યું કે, હવે દરેક સમાજના લોકો સમજવા લાગ્યા છે કે, ભાજપે તેમની સાથે ''વિશ્વાસઘાત'' કર્યો છે. જનતા સાથે દગો કર્યો છે. પેટ્રોલ-ડિઝલના ભાવ દરરોજ વધતા સામાન્ય માણસને જીવવું મુશ્કેલ થઇ ગયું છે.

જેના વિરોધમાં આજે કોંગ્રેસ દ્વારા જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરીને કેન્દ્રની ભાજપ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો.

(11:38 am IST)