મોરબીમાં રોગ પ્રતિવર્ધક, આરોગ્યપ્રદ નાકમાં નાખવાના ટીપાનું ફ્રી વિતરણ.
મોરબીના અંબારામ ભાઈ ભાલોડિયા દ્વારા બનાવવામાં આવેલ રોગ પ્રતીવર્ધક, આરોગ્ય પ્રદ નાકમાં નાખવા ના ટીપાંનું ફ્રી વિતરણ તા ૨૮ ના રોજ સાંજે ૪ વાગ્યાથી સ્ટોક હસે ત્યાં સુધી ડો. હસ્તી. આઈ. મહેતા ની ક્લિનિક, (ગાંધી બજાર, હુસેનપિર વાળી શેરી,) પરથી ફ્રી માં કરવામા આવશે
આ ટીપા કોવિડ- ૧૯ જેનું મૂળ છે તેવા સર્દી ખાંસી તેમજ કફ જન્ય રોગોમાં ખુબજ ઉપયોગી થતા હોવાનુ તેમજ કોરોના મા ફાયદાકારક હોવાનુ જણાવાયું છે.
બન્ને નાકના નસકોરામાં પ્રથમ દિવસે ૩-૩ ટીપા દિવસમાં ૩ વખત, બીજા દિવસે ૨-૨ ટીપા ત્રણ વખત અને ત્રીજા દિવસે ૧-૧ ટીપુ દિવસમાં ૧ વખત નાખવાનું યાદીમાં જણાવાયું છે
ડો. હસ્તી. આઈ. મહેતા તેમજ જયસુખ ભાઈ ભાલોડિયા તેમજ સ્ટાફ વિતરણ વ્યવસ્થા સંભાળશે. ટીપા લેવા આવનારે માસ્ક પહેરવા સાથે સોશ્યલ ડિસ્ટન્સ નુ ચુસ્ત પાલન કરવાનું રહેશે.