News of Monday, 26th April 2021
જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : વધુ 5 લોકોના મોત : નવા 259 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 220 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ સિટીમાં 137 કેસ ,જૂનાગઢ તાલુકામાં 17 કેસ, માળીયામાં 21 કેસ, કેશોદમાં 20 કેસ, વિસાવદરમાં 15 કેસ, માંગરોળમાં 12 કેસ, માણાવદરમાં 11 કેસ, ભેસાણમાં 10 કેસ, મેંદરડામાં 9 કેસ, અને વંથલીમાં 7 કેસ નોંધાયા
જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે વધુ 5 લોકોના કોરોનાએ જીવ લીધા છે આજે કોરોનાના નવા 259 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 220 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે
જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 259 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 137 કેસ ,જૂનાગઢ તાલુકામાં 17 કેસ, માળીયામાં 21 કેસ, કેશોદમાં 20 કેસ, વિસાવદરમાં 15 કેસ, માંગરોળમાં 12 કેસ, માણાવદરમાં 11 કેસ, ભેસાણમાં 10 કેસ, મેંદરડામાં 9 કેસ, અને વંથલીમાં 7 કેસ નોંધાયા છે
(9:28 pm IST)