સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 26th April 2021

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : વધુ 5 લોકોના મોત : નવા 259 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 220 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જૂનાગઢ સિટીમાં 137 કેસ ,જૂનાગઢ તાલુકામાં 17 કેસ, માળીયામાં 21 કેસ, કેશોદમાં 20 કેસ, વિસાવદરમાં 15 કેસ, માંગરોળમાં 12 કેસ, માણાવદરમાં 11 કેસ, ભેસાણમાં 10 કેસ, મેંદરડામાં 9 કેસ, અને વંથલીમાં 7 કેસ નોંધાયા

જૂનાગઢ જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે, આજે વધુ 5 લોકોના કોરોનાએ જીવ લીધા છે આજે કોરોનાના નવા 259 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 220 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે 

 જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 259  પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 137 કેસ ,જૂનાગઢ તાલુકામાં 17 કેસ, માળીયામાં 21 કેસ, કેશોદમાં 20 કેસ, વિસાવદરમાં 15 કેસ, માંગરોળમાં 12 કેસ, માણાવદરમાં 11 કેસ, ભેસાણમાં 10 કેસ, મેંદરડામાં 9 કેસ, અને વંથલીમાં 7 કેસ નોંધાયા છે

(9:28 pm IST)